વજન
ઉતારવા માટે દિનચર્યા:-
૧. સવારે:
·
૧૦ ગ્રામ દશમૂલ
ઉકાળો 3 ચમચી મધ+ત્રણ ચમચી લીંબુરસ નરણ। કોઠે
પીવો
·
૧ કપ ચા (ખાંડ ઓછી)
·
ખાખરા ,મમરા
૨. બપોરે:
·
૧ ગ્લાસ(૨૫૦ –
૩૦૦મિ.લિ.) ભરીને મગ નો સૂપ
·
સલાડ( કચુંબર ): કાકડી , કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
·
૧ વાટકી
બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું વાપરવું), ૨- રોટી
·
૧ વાટકી ભાત
(૨-૩ વર્ષ જૂના ચોખા વાપરવા)
·
૧ વાટકી પાતળી
દાળ
·
૧ વાટકી પાતળી
છાશ
૩. સાંજે:
·
૧ કપ ચા ( ખાંડ ઓછી )
·
ખાખરા, મમરા
૪. રાત્રે:
·
૧૦ ગ્રામ દશમૂલ
ઉકાળો 3 ચમચી મધ+ત્રણ ચમચી લીંબુરસ નરણ।
કોઠે પીવો
·
૧ ગ્લાસ - મગ નો સૂપ
·
સલાડ(કચુંબર): કાકડી ,કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
·
૧ વાટકી
બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું વાપરવું) ,૨- રોટી
·
૧ વાટકી ખીચડી
-૧ વાટકી છાશ
૫. સૂતી વખતે:
·
અડધો ગ્લાસ
ઉકાળીને મલાઈ કાઢી નાખેલું પાતળું દૂધ
૬.
Ø મગ નો સૂપ બનાવવાની રીત:-
૧૦૦ ગ્રામ મગ ને સવા લિટર પાણી – આદું, હળદર, કળા મારી અને સિંધાલૂણ નાખી ૩૦૦ મિ.લિ. જેવુ
બાકી રહે ત્યાં સુધી ઉકાળવું, સાધારણ નવશેકું હોય ત્યારે
પીવું ॰
Ø
નોંધ:-
v સવાર-સાંજ ૩૦ મિનિટ સ્પીડ માં ચાલવા જવું, જોડે હળવી કસરત કરવી.
v સૂંઠ નું પાણી: રોજ સવારે 2 લિટર પાણી માં 2 ચમચી સૂંઠ નો પાવડર નાખી 1 લિટર જેટલું વધે એટલું
ઉકાળવું, પછી ગાળી ને એક બાટલા માં ભરવું, આખા દિવસ દરમ્યાન એ પાણી પીવા માટે વાપરવું.
v દિવસ માં 2 વાર ફૂલ પેટ જમવું નહિ પણ ઉપર મુજબ 3 થી 4 વાર ખોરાક લેવો.
v ટી.વી . જોતાં- જોતાં કે વાતો કરતાં-કરતાં જમવું નહિ .
v દૂધ ગાય નું જ વાપરવું.
v રસોઈ માં ખારા મીઠા ની જગ્યા એ સિંધા લૂણ જ વાપરવું.
v ઘી, માખણ, ચીજ, ક્રીમ, વધારે પડતું તીખું-તળેલું-ખાટું, આથા વાળી આઇટમ, ,ગળ્યું-મીઠાઇ વગેરે... બંધ કરી દેવું
v બટાકા, શક્કરીયાં, ડ્રાય
ફ્રૂટ, ચોકલેટ, કેક, આઈસ-ક્રીમ, જંક ફૂડ(દાબેલી,
સેન્ડવિચ,પફ, વગેરે...) ,મેંદા ની બનાવટ- બંધ કરવું
v દિવસ માં ઓછા માં ઓછું 10 થી 12
ગ્લાસ પાણી અવશ્ય પીવું.
v બપોરે સુવું નહિ, પણ આરામ લઈ શકાય
v કબજિયાત ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.
No comments:
Post a Comment