14 May 2013

વજન ઉતારવા માટે દિનચર્યા:-



વજન ઉતારવા માટે દિનચર્યા:-

૧. સવારે:
·         ૧૦ ગ્રામ દશમૂલ ઉકાળો 3 ચમચી મધ+ત્રણ ચમચી લીંબુરસ  નરણ। કોઠે પીવો
·         ૧ કપ ચા (ખાંડ ઓછી)
·         ખાખરા ,મમરા

૨. બપોરે:
·         ૧ ગ્લાસ(૨૫૦ – ૩૦૦મિ.લિ.) ભરીને મગ નો સૂપ
·          સલાડ( કચુંબર ): કાકડી , કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
·         ૧ વાટકી બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું વાપરવું), ૨- રોટી
·         ૧ વાટકી ભાત (૨-૩ વર્ષ જૂના ચોખા વાપરવા)
·         ૧ વાટકી પાતળી દાળ
·         ૧ વાટકી પાતળી છાશ

૩. સાંજે:
·         ૧ કપ ચા ( ખાંડ ઓછી )
·         ખાખરા, મમરા

૪. રાત્રે:
·         ૧૦ ગ્રામ દશમૂલ ઉકાળો 3 ચમચી મધ+ત્રણ ચમચી લીંબુરસ  નરણ। કોઠે પીવો
·          ૧ ગ્લાસ - મગ નો સૂપ
·         સલાડ(કચુંબર): કાકડી ,કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
·         ૧ વાટકી બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું વાપરવું) ,૨- રોટી
·         ૧ વાટકી ખીચડી -૧ વાટકી છાશ


૫. સૂતી વખતે:
·        અડધો ગ્લાસ ઉકાળીને મલાઈ કાઢી નાખેલું પાતળું દૂધ
૬.
Ø મગ નો સૂપ બનાવવાની રીત:-
૧૦૦ ગ્રામ મગ ને સવા લિટર પાણી – આદું, હળદર, કળા મારી અને સિંધાલૂણ નાખી ૩૦૦ મિ.લિ. જેવુ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું, સાધારણ નવશેકું હોય ત્યારે પીવું


Ø નોંધ:-

v સવાર-સાંજ ૩૦ મિનિટ સ્પીડ માં ચાલવા જવું, જોડે હળવી કસરત કરવી.
v સૂંઠ નું પાણી: રોજ સવારે 2 લિટર પાણી માં 2 ચમચી સૂંઠ નો પાવડર નાખી 1 લિટર જેટલું વધે એટલું ઉકાળવું, પછી ગાળી ને એક બાટલા માં ભરવું, આખા દિવસ દરમ્યાન એ પાણી પીવા માટે વાપરવું.
v દિવસ માં 2 વાર ફૂલ પેટ જમવું નહિ પણ ઉપર મુજબ 3 થી 4 વાર ખોરાક લેવો.
v ટી.વી . જોતાં- જોતાં કે વાતો કરતાં-કરતાં જમવું નહિ .
v દૂધ ગાય નું જ વાપરવું.
v રસોઈ માં ખારા મીઠા ની જગ્યા એ સિંધા લૂણ જ વાપરવું.
v ઘી, માખણ, ચીજ, ક્રીમ, વધારે પડતું તીખું-તળેલું-ખાટું, આથા વાળી આઇટમ, ,ગળ્યું-મીઠાઇ વગેરે... બંધ કરી દેવું
v બટાકા, શક્કરીયાં, ડ્રાય ફ્રૂટ, ચોકલેટ, કેક, આઈસ-ક્રીમ, જંક ફૂડ(દાબેલી, સેન્ડવિચ,પફ, વગેરે...) ,મેંદા ની બનાવટ- બંધ કરવું
v દિવસ માં ઓછા માં ઓછું  10 થી 12 ગ્લાસ પાણી અવશ્ય પીવું.
v બપોરે સુવું નહિ, પણ આરામ લઈ શકાય
v કબજિયાત ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.

No comments: