11 May 2013

Heath Plus


હેલ્થ પ્લસ : આપ જાણો છો પુરૂષો કરતા સ્ત્રીઓ લાંબુ કેમ જીવે છે ?



P.R
વૈજ્ઞાનિકોએ સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ શા માટે વધુ લાંબુ જીવન જીવી શકે છે તે અંગેનું કારણ શોધી કાઢ્યું છે. આ કારણ સમાયેલું છે તેમના બાયોલોજિકલ સ્ટ્રક્ચર એટલે કે જીન્સમાં. મોનાશ યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે જીવોના કોષોમાં રહેલા માઇટોકૉન્ડ્રિયાના ડીએનએમાં રહેલું અંતર જ પુરુષો અને મહિલાઓના જીવનની આશા હોય છે.

માઇટોકૉન્ડ્રિયા લગભગ તમામ જંતુઓના કોષોમાં હોય છે. તે જીવન માટે જરૂરી છે કારણ કે તે આપણા ભોજનને એનર્જીમાં પરિવર્તિત કરે છે જે આપણા શરીરને તાકાત આપે છે.

મોનાશ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સીસના ડૉ. ડામે ડૉલિંગ અને પીએચડી સ્ટુડન્ટ ફ્લોરેન્સિયા કેમસે લાન્ચેસ્ટર યુનિવર્સિટીના ડૉ. કલેન્સી સાથે મળીને આ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મેલ અને ફીમેલ ફ્રુટ-ફ્લાય(માખીઓ) પર કરવામાં આવ્યો. ડૉલિંગે જણાવ્યું કે મેલ માખીઓના માઇટોકૉન્ડ્રિયાના ડીએનએમાં થનારા ફેરફારોનો પ્રભાવ તેમની ઉંમર અને વૃદ્ધ થવા પર પડે છે પણ આ જ બદલાવોનો પ્રભાવ ફીમેલ માખીઓ પર નથી પડતો.

તેઓ જણાવે છે કે. એ વાત સાચી છે કે બાળકને પોતાના જીન્સ માતા અને પિતા બંને પાસેથી મળે છે પણ તેમ છતાં તે માઇટોકૉન્ડ્રિયા માત્ર પોતાની માતા પાસેથી જ મેળવે છે. આનો અર્થ એ છે કે પ્રકૃતિ દ્વારા પસંદગીનો સિદ્ધાંત અહીં કામ કરે છે જે ઉત્તમ બાયોલોજિકલ કેરેક્ટરની જ પસંદગી કરે છે. ડૉલિંગે જણાવ્યું, અમારા અભ્યાસમાં સામે આવ્યું કે માઇટોકૉન્ડ્રિયામાં થનારા બદલાવ પુરુષોના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પાડે છે. હવે અમારે એ બાયોલોજિકલ કોર્સ ઓફ એક્શનને શોધવાના છે જેના મારફતે પુરુષોમાં માઇટોકૉન્ડ્રિયામાં બદલાવોના હાનિકારક પ્રભાવોનો નાશ કરી શકાય જેથી તેઓ સ્વસ્થ રહે.

આ અભ્યાસ 'બાયોલોજી' મેગેઝિનના તાજેતરના અંકમાં પ્રસિદ્ધ થયો છે

ઘરેલુ ઉપચાર - ડાયાબીટિશથી બચવા શુ ખાશો ?



P.R
દિવસે ને દિવસે વધુ ને વધુ લોકો ડાયાબીટિઝની બીમારીના ભોગ બની રહ્યાં છે. તમે પણ તેના સકંજામાં સપડાઇ શકો છો. વર્લ્ડ ડાયાબીટિઝ ફાઉન્ડેશન અનુસાર જો મનુષ્ય પોતાના ભોજન પર પૂરતું ધ્યાન આપે અને રોજ વર્ક આઉટ કરે તો તે ટાઇપ 2 ડાયાબીટિઝથી બચી શકે છે. સાથે જો તમે તમારા આહારમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરશો તો પણ ડાયાબીટિઝથી બચવામાં તમને સારી એવી મદદ મળી રહેશે... 

જેમ કે...

1.
 લીલા શાકભાજી - પાલક, કોબીજ, કારેલા, અરબી, દૂધી વગેરે અનેક રીતે સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ શાકભાજીમાંથી કેલરી ઓછી અને વિટામિન સી, બીટ કેરોટીન અને મેગનેશિયમ વધુ મળે છે જેનાથી ડાયાબીટિઝમાં ફાયદો થઇ શકે છે.એક સંશોધન અનુસાર એ જણાવવામાં આવ્યું છે કે જો તમે દિવસમાં 106 ગ્રામ શાકભાજી ખાઓ છો તો તમને ટાઇપ 2 ડાયાબીટિઝ થવામાં 14 ટકા લાભ થાય છે. અર્થાત્ આ ડાયાબીટિઝના જોખમને 14 ટકા ઓછું કરે છે.

2.
 દાળ - તમને જે દાળ ભાવતી હોય, પછી તે સોયાબીન, મસૂર, તુવેર, ચણાની જ કેમ ન હોય, તેનું દરરોજ અચૂક સેવન કરો. કારણ કે દાળમાં સારા પ્રમાણમાં રેસા હોય છે જે બ્લડ શુગરના લેવલને સામાન્ય કરે છે. કઠોળમાં માંસ જેટલું જ પ્રોટીન હોય છે અને ફેટ ઓછું, જે ખાવાથી તમને ટાઇપ 2 ડાયાબીટિઝમાં ફાયદો થશે.

3.
 માછલી - તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ડાયાબીટિઝ ઓછું કરે છે. સાથે શરીરમાં ટ્રાઈગ્લીસરાઇડને ઓછું કરીને તે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે. અઠવાડિયામાં કેટલાંક દિવસ માછલી ખાવાથી હૃદયની બીમારીઓ નથી થઇ શકતી.

4.
 લો ફેટ મિલ્ક પ્રોડક્ટ - આમાં વધુ માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન તથા ઓછી ચરબી હોય છે. સંશોધનોમાં જોવા મળ્યું છે કે લો ફેટવાળું દહીં ડાયાબીટિઝતી બચાવે છે. પણ હંમેશા સાદું દહીં જ લેવું જોઇએ, ખાંડવાળું નહીં.

5.
 ઓલિવ ઓઇલ - તેમાં મોનોસેચ્યુરેડેટ ફેટી એસિડ હોય છે. તમારા ડાયટમાં બટરની જગ્યાએ આ તેલનો પ્રયોગ કરશો તો બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે.

6.
 સૂકા મેવા - સૂકા મેવામાં મેગ્નેશિયમ અને ડાયાબીટિઝને સુધારનારા તત્વો જોવા મળે છે. સંશોધન અનુસાર જે લોકો દરરોજ તેનું સેવન કરે છે તેમનામાં ડાયાબીટિઝ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

7.
 ખાટાં ફળો - સંતરા, મોસંબી, લીંબુ વગરે પણ ડાયાબીટિઝને અટકાવે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે ચરબી તો ઓછી કરે જ છે સાથે ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. આ સિવાય તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે. 

8.
 આખું અનાજ - રિફાઇન્ડ અનાજ જેમ કે સફેદ બ્રેડ, મેંદો કે ચિપ્સ વગેરેથી ડાયાબીટિઝ થવાનું જોખમ રહે છે. પણ જો તમે ઘઉં, બ્રાઇન રાઇસ કે ઘઉંની બ્રેડ ખાશો તો શરીરમાં બ્લડ શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહેશે જેનાથી ડાયાબીટિઝનું જોખમ ઓછું થઇ જશે.

9.
 તજ - આ ટેસ્ટી મસાલો ભોજનમાં જીવ સિંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે ડાયાબીટિઝને યોગ્ય કરવાનું કામ પણ કરે છે. સંશોધનો જણાવે છે કે તજ શરીરના સોજાને ઓછો કરે છે તથા ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. તેને ભોજનમાં, ચા કે પછી ડેઝર્ટ્સમાં વાપરી શકાય છે


હેલ્થ કેર - ઉનાળામાં પરસેવાથી છુટકાર મેળવવાની ટિપ્સ



P.R
એકવાર પહેરેલા વસ્ત્રો ધોયા વગર કબાટમાં ન મૂકો. ધોયા વગરના વસ્ત્રો કબાટમાં મૂકવાથી દુર્ગંદ પેદા કરતા બેક્ટેરિયા સક્રિય થઇને વસ્ત્રોમાં વધુ દુર્ગંધ પેદા દરી દેશે. શરીરની સાફ-સફાઇનું તો વિશેષ ધ્યાન રાખવું.

-
 લીમડાયુક્ત સાબુથી જ નાહશો તો ઉત્તમ રહેશે. જ્યાંસુધી શક્ય હોય ત્યાંસુધી તડકાથી બચો. વસ્ત્ર એવા પહેરો જે શરીર સાથે ચોંટે નહીં કારણ કે ટાઇટ વસ્ત્રોમાં વધુ પરસેવો વળે છે અને યોગ્ય રીતે હવાની અવરજવર નથી રહેતી માટે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

-
 સિન્થેટિક વસ્ત્રો ન પહેરતા સુતરાઉ વસ્ત્રો પહેરશો તો વધુ સારું રહેશે. તળેલા અને મસાલાયુક્ત પદાર્થો ન ખાશો. ઋતુગત ફળોનું સેવન કરો.

જડીબુટ્ટી દ્વારા ઉપચાર -

-
 બાવળના પાંદડા અને આમલાને બરાબર મિક્સ કરી દળી લો.આ ચૂરણની આખા શરીર પર માલિશ કરો અને થોડા સમય બાદ સ્નાન કરી દો. નિયમિત રીપે આનો પ્રયોગ કરવાથી થોડા દિવસોમાં પરસેવો આવવાનું બંધ થઇ જશે.

-
 પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે બીલીપત્રના રસનો લેપ શરીર પર લગાવો.

-
 અરડૂસીના પાંદડાના રસમાં થોડું શંખ ચૂરણ નાંખી શરીર પર લગાવવાથી પણ પરસેવાની અસહ્ય દુર્ગંધ દૂર થઇ જાય છે



આરોગ્ય ટિપ્સ - આંખો સૂજી જતી હોય તો આટલુ કરો

પીડાદાયક આંખોને को conjunctivitis ના નામથી પણ ઓળખાય છે. આંખોનુ આ સંક્રમણ ખૂબ જ સામાન્ય છે અને આ કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે ચ હે. આંખના રોગમાં હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. અહી સુધી કે આઈબોલ પણ ખૂબ વધુ પ્રભાવિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સોર આઈસથી પીડિત હોય છે તો આંખો લાલ થઈ જાય છે. ઘણીવાર સોર આઈસના લક્ષણોમાં આંખો લાખ પણ દેખાય છે. આ ઉપરાંત આંખમાં ખંજવાળ પણ આવે છે. આંખો સૂકાય જાય છે અને સુજી પણ જાય છે. આંખ દુ:ખવા પણ માંડે છે. જો કે આંખના આ રોગનો એલોપૈથી ઈલાજ પણ છે જેનથી આંખોની સુજન અને દુ:ખાવો ઓછો કરી શકાય છે. પણ આપ જાણો છો કે સુજી ગયેલી આંખો માટે પ્રાકૃતિક ઈલાજ પણ છે. અહી આપેલા પ્રાકૃતિક ઉપાયો દ્વારા આંખોની સુજન ઓછી કરી શકાય છે. 

1.
 આંખોની સૂજનથી બચવા માટે આંખો પર હલકો ગરમ સેક કરવો જોઈએ. 
2.
 આંખો પર ઠંડી કાકડી કે કાકડીના નાના નાના ગોળ પીસ મુકવાથી આરામ મળે છે. 
3.
 ઘરેલુ ઉપચારમાં સૌથી ઉત્તમ ઉપાય છે કે તમે આંખમાં ગુલાબ જળ નાખો, આનાથી આંખને આરામ મળશે. 
4.
 આંખને કુણા પાણી કે દૂધથી દિવસમાં 3-4વાર ધોવાથી પણ ફાયદો થાય છે. 
5.
 આંખોની સુજન દૂર કરવા માટે કાચા આલૂના રસમાં તેલ મિક્સ કરીને આંખો પર લગાવો. 
6.
 આંખોની સૂજન દૂર કરવા એલોવેરા જેલ ખૂબ જ ઉપયોગી છે. આ માટે તમે એક સૂકા અને સ્વચ્છ કપડાને એલોવેરા જ્યુસમાં ડુબાડી તેનાથી આંખો આંખો લૂછી લો. 
7.
 એક ચમચી મધમાં આંબળાનો રસ મિક્સ કરી દિવસમાં બે વાર પીવાથી આંખોની સુઅજન ઓછી થાય છે. આનાથી આંખને અન્ય સંક્રમણથી પણ બચાવી શકાય છે. 
8.
 ગાજર, પાલક જેવી શાકભાજીઓનો રસ દિવસમાં બે વાર પીવો જોઈએ. 


આ ઉપરાંત આંખોની સાફ-સફાઈનુ પણ ધ્યાન રાખવુ જોઈએ અને આંખોને વારેઘડીએ હાથ ન લગાવવો જોઈએ. આ સાથે જ આંખોને દિવસમાં ચાર પાંચ વખત ઠંડા પાણીથી ધોવી જોઈએ


વિવિધ ફળોથી વિવિધ બીમારી સારી કરો:
જો આપ નીચેલખેલી બીમારીઓ માટેઆયિુ ેદિક, એલોપેવથક, યનૂ ાની ઈલાજ લઈ
રહ્યા છો તો ફળ-શાકભાજીની ચચદકત્સાનો િધારાનો લાભ લો. બીમારીમાાં, ફળો
િિાની જેમ કામ કરેછે.
કેટલીક સામાન્ય અનેખાસતો જીિલેણ વનિડતી શારીદરક સમસ્યાનો ઉકેલ માત્ર
ફ્રૂટ્સથી થાય છે, આ િાત આપણા આયિુ ેિેતો કરી જ છેપણ આજનાંુમેદડકલ
સાયન્સ પણ માનેછે.
હાઈબ્લડપ્રેશર દ્રાક્ષ, ટમેટા, અખરોટ, તરબચૂ , સાંતરા, સફજન, કેળા, નાશપતી,
ફ્લાિર, લસણ, કાકડી, લીંબ.ુઆ એિા ફ્રૂટ્સ છેજે તમારા શરીરમાાં લોહીના ંચચા
િબાણમાાં રાહતનાંુકામ કરેછે. આ ફ્રૂટ્સનાંુયોગ્યમાત્રામાાં સેિન કરિાથી બી.પી.ની
િિાઓ ઓછી થઈ જશેઅનેધીરેધીરેસામાન્ય કક્ષા સધુ ી તમારા હાઈબ્લડપ્રેશરને
ઘટાડી શકશો.
એનીવમયા શરીર દફક્કુપડી ગયાંુહોય કેપછી એનીવમયા કેલોહતત્િનાંુપ્રમાણ
ઓછાં થિા લાગ્યાંુહોય, આિા સજાં ોગોમાાં ટમેટા, સાંતરા, સફરજન, સ્રોબેરી, બીટ,
અંજીર, આલ, ાંુદ્રાક્ષ, પાલક, િગેરે લેિાથી લોહીનાંુપ્રમાણ િધારિા માટેિિાઓ કરિી
નહીં પડ, ેઆ બધા ફ્રૂટ્સ-શાકભાજીથી શરીરમાાં શક્તત પણ િધેછે.કોલેસ્રોલ હૃિયની નળીઓમાાં જ્યારેકોલેસ્રોલ નામની ચરબીના થર જમિા લાગે
છેત્યારેહૃિયરોગનો પણ ખતરો રહતે ો હોય છે. તેના માટેિિાઓથી લઈને
ઓપરેશન સધુ ીની દરટમેન્ટ લેિી પડેછે, પણ તેના માટેહાજર છેઆપણા નેચરકલ
ડોતટસસ. તેછે..., કેરી, અખરોટ, સફરજન, જબાં , ાંુગાજર, ડુાંગળી, લસણ, સાંતરા.
હૃિય રોગ હૃિયની કોઈ બીમારી હોય, હૃિય પહોળાં થતાંુહોય, તેનો આકાર િધતો
હોય, તેમાાં ચરબી િધતી હોય, કેપછી હૃિયના ધબકારાની બીમારી હોય ત્યારેતે
જીિલેણ થઈ શકેછે. આ માટેના ફળો છે, સફજન, અખરોટ, કેળા, અનાનસ,
તરબચૂ ,નાશપતી.
ડાયાચબટીસ વિશ્વમાટેસોલ્યશુ ન શોધિામાાં એડ્સ જેટલો જ પડકાર જનક રોગ
અનેઅમકુ હિેજીિલેણ રોગ છે, ડાયાચબટીસ. તેના ઉપાય માટેજો અહીં
જણાિિામાાં આિેલા ફળો ખાિામાાં આિેતો તેનેઅટકાિી શકાય છે. ટમેટા, તરબચૂ ,
નાશપવત, જમરૂખ, ખાટાફળો.
િમ શ્વાસનો રોગ જીિલેણ સાચબત થઈ શકેછે. શ્વાચ્છોશ્વાસની ક્રીયામાાં
અવનયવમતતા સજસય જય, થોડુાંક ચાલતા શ્વાસ ચઢિા લાગે, તો આિા રોગોમાાં
ગાજર, સાંતરા, નાશપતી, લાલ મરચાંુિગેરેલેિાથી ઘણો ફાયિો રહેછે.
ગઠીયાનો રોગ ગઢીયાનો રોગ પીડાિાયક હોય છેતથા સોજ માટેપણ જરૂરી છે
આિા ફળોનાંુસેિન. તેના માટેઅનાનસ, કાકડી, બીટ, પાલક, ટમેટા િગેરેફળો
ખાિાથી સારાંુથઈ જય છે.
ઓછી ઊંઘ જો ઓછી ઊંઘ લેતા હોય તો સાિચેત થઈ જજો. ઊંઘ ન આિિી કે
ઓછી આિિી તેપણ એક જીિલેણ બીમારી થઈ શકેછે. કારણ કેઊંઘથી શરીરનાતત્રાં નેઆરામ પ્રાપ્ત થાય છે, પદરણામેતેસારી રીતેચાલતા રહેછે. પણ જો ઊંઘ
વ્યિક્સ્થત યોગ્ય માત્રામાાં ન થાય તો શારીદરક તત્રાં જિાબ માગાં િા લાગેછે
પદરણામેકબજીયાતથી લઈનેહૃિયરોગ સધુ ીના જીિલેણ રોગો લાગુપડી શકેછે,
રોગપ્રવતકારક શક્તત નાશ પામિા લાગેછે. જો વ્યિક્સ્થત ઊંઘ ન આિતી હોય તો
લીંબ, ુગાજર, દ્રાક્ષ તથા કેળાનાંુખાસ સેિન કરો.
ખીલ ખીલ ચહરે ાનેબિસરૂત કરી િેછે. ચહરે ાનેચમકાિિા અનેખીલનેમટાડિા
માટેકેટલાક એિા ફળ આપણા આયિુ ેદિક જણાિેછેકેજેનાથી ખીલ મટી જય છે
તેછે, કેરી, ગાજર, સાંતરા, દ્રાક્ષ, તરબચૂ , ડાંગૂ ળી, પાલક, બીટ, સ્રોબેરી.
કમળો શરીર પીળાં પડિા લાગેકેપછી િાતાં માાં પાયોરીયા થઈ જય તો પમ
આટુિેિ આ પ્રમાણેના ફળ સચૂ િેછેતેછે... લીબ, ાંુગાજર, નાશપતી, દ્રાક્ષ, પાલક,
બીટ, કાકડી, પપૈય.ાંુ



'જીવન' એ ભગવાને આપેલી સુંદર ભેટ છે


ગરમીમાં ઠંડક અપાવનારા કેટલાક ખાસ ઉપાયો.
દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે મિશ્રઋતું ની અસર જણાઈ રહિ છે
અને ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહે છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક પ્રકારના નુસખા અપનાવે છે.
કોઈ દિવસમાં બે- ત્રણ વખત સ્નાન કરે છે, ઠંડા પીણા પીવે છે, કૂલર અથવા એ.સી.નો ઉપયોગ કરે છે. જેઓ આ ઉપકરણો વસાવી શકતા નથી તેઓ કુદરતી રીતે ઠંડક મેળવવા માટે ખસની ટટ્ટીઓનો પણ ઉપયોગ કરે છે
આ આકરા ઉનાળા ની સામે રાહત મેળવવા આપણે સજ્જ થઈ જઈએ કઈક આવી રિતે મિત્રો..
આજકાલ બજારમાં કોટન મટિરિયલના ડ્રેસ વધારે જોવા મળે છે. આ મટિરિયલ પરસેવો શોષી લેતું હોવાને કારણે દરેકને તે વધારે પસંદ પડે છે.ઉનાળા માટે કોટન બેસ્ટ મટિરિયલ છે.ખાદીના કપડા ઉનાળા માટે એકદમ કમ્ફર્ટ હોય છે. ગરમીમાં તે ઠંડક પણ આપે છે.
ઉનાળામા પાણીની જરૂરિયાત વધી જાય છે. તેથી કરિને એવા ખોરાક ખાવ જે પાણી થી ભરપુર હોય..જેને ખાવાથી ડિહાઇડ્રેશન ની પરેશાની થી છુટકારો મળે.જેમ કે, સંતરા, તરબૂચ, કોબીજ, કાકડી..
કુદરતી જ્યુસ જેવા કે નાળીયેર પાણી, ઠંડાઇ, અને બીજા સ્વાસ્થ્ય વર્ધક પીણા ..
દિવસના સમયે ઘરને બંધ કરી દો.
સાંજના સમયે બારી બારણા ખોલી દો અને પંખા ચાલુ કરી દો.
ઘરમાં મની પ્લાન્ટ લગાવો અથવા તો લોબી કે ચોતરામાં વેલ
પણ લગાવવાની આદત રાખી શકાય. તે ઠંડક આપનારી હોય છે.
ઘરમાં લગાવેલા નાના નાના ઈન્ડોર પ્લાન્ટ પણ મદદ કરે છે.
એક મોટા કાચના બાઉલમાં પાણી ભરીને ફૂલોની પાંદડીઓ નાંખીને ઘરના સેન્ટર ટેબલ પર મૂકી શકાય છે.પંખો સતત ચાલતો રહેવાથી તે પાણીની ઠંડક ઘરમાં ફેલાય છે, સાથે ફૂલોની મહેક પણ પૂરા ઘરમાં ફેલાયેલી રહે છે.

રાબએક લિક્વીડ વસાણું છે.
રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે
તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.
શરીરમાં ગરમાવો પણ મળે છે
ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડી મા બનાવીએ
રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે:
રાબ બનાવવાની રિત:

1
ટી સ્પૂન સૂઠ
1
ટી સ્પૂન ગંઠોડા
50
ગ્રામ ગોળ
1
ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1
ટેબલ સ્પૂન સ્પૂન ઘી
1
ગ્લાસ પાણી
સુકા ટોપરાનું છીણ
રીત
-
લોટને ઘીમાં ધીમી આંચે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો
-
એક તપેલીમાં પાણીની અંદર ગોળ મિક્સ કરી ઉકાળી લો
-
લોટ શેકાઈ ગયા બાદ તેમાં સૂઠ અને ગંઠોડા ઉમેરો
-
તેને વ્યવસ્થિત મિક્સ કરો બાદમાં તેમાં ગોળનું પાણી ઉમેરો
-
આપ ઈચ્છો તો તેમાં ટોપરાનું છીણ કે ખસખસ પણ ઉમેરી શકો છો
[
રિત-દિવ્ય ભાસ્કર,15/12/2011]









અનિયમિત હવામાનને કારણે ઋતુચક્ર બદલાઈ ગયું છે.
આખા વિશ્વમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ છે. પણ આજકાલ ક્યારે કઈ મોસમ બદલાય તે કહેવું મુશ્કેલ છે.


છતાં કુદરત થોડી પણ આપણા ઉપર મહેરબાન છે. થોડા વાતાવરણની બદલી સાથે પણ થોડી ઘણી ઋતુઓ જળવાઈ રહી છે.
ભારતમાં જ નહીં,ં વિશ્વમાં આમ બની રહ્યું છે.


આ માટે અનેક કારણો જવાબદાર છે.
પહેલાંના વખતમાં ગાઢ જંગલો હતાં પણ આજે તો સર્વત્ર જંગલો કપાઈ રહ્યાં છે.
ઉપરાંત અનેક શહેરોમાં સિમેન્ટ ક્રોંક્રીટનાં ગગનચુંબી મકાનો બની રહ્યાં છે. એટલે આખું પર્યાવરણ ખોરવાઈ ગયું છે.


આમ છતાં થોડે ઘણે અંશે પણ ઋતુઓ જળવાઈ રહી છે.
એ હિસાબે હાલમાં શિયાળાની મોસમ ચાલે છે
શિયાળો એટલે શક્તિસંચયની મોસમ.


એમાં જે કોઈ પાક વસાણાં, ચાટણ અને અવલેહ ખાઈ તે પચી જાય છે.
આ ઋતુમાં આમળાં પણ બજારમાં મળે છે. આમળાને આમલકી કહે છે. ધાત્રી કહે છે. વયસ્થાપક કહે છે. તે રસાયન છે, વાજીકરણ છે, શક્તિવર્ધક છે. ત્રણેય દોષો વાયુ, પિત્ત, અને કફનું શમન કરે છે. નવાં રસ, લોહી પેદા કરે છે. સપ્તધાતુ પૌષ્ટિક છે. આંખોને બળ આપે છે. આમળાં, ભૃંગરાજ, બ્રાહ્મી તેલ મગજને ઠંડક આપે છે. કેશને કાળા સુંવાળા અને રેશમી રાખે છે. લાંબા બનાવે છે.
આ મોસમમાં બાજરાનો રોટલો અને અડદની દાળ પણ પ્રચલિત છે.


કુદરત શક્તિ તો આપણને જન્મથી જ આપે છે.
પણ આપણો ઉછેર, ખાનપાન કૃત્રિમ બન્યા છે


મોટાં શહેરોમાં ફૂટપાથિયું ખાણું ખાઈને જીવન ગુજારતા માણસ તો ઔષધ અને વસાણાં માટે સાલમપાક, મેથીપાક, બદામપાક, કૌંચાપાક, અડદિયા વગેરે મીઠાઈઓની દુકાનેથી લાવે. આમાં માવો વધારે હોય, ખાંડ વધારે હોય, ઘી વધારે હોય, ઉપર બદામ, પિસ્તા, ચારોળીના ટુકડા છાંટેલા હોય, નામ પૂરતાં કેસર કે દેશી વસાણાંનું સંયોજન હોય.


ચ્યવનપ્રાશ પણ શુગરપ્રાશ બને છે. ઘરે બનાવવામાં ફેર પડે છે.
આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષો સૌ કોઈ કરી શકે તેવા નિર્દોષ અને સરળ પ્રયોગોથી હાનિ થતી નથી.
વિવિધ સંસ્થાઓ જુદા જુદા પ્રકારના ચ્યવનપ્રાશ બનાવે છે.
ત્યારે લેનાર ગ્રાહક મૂંઝવણમાં પડી જાય છે.
આ સેવનના ઘણા લાભ છે.
એનાથી કાંતિ વધે છે.
ઓજ વધે. શકિત, સ્ફૂર્તિ અને ઉત્સાહ આવે.


રસાયન ક્રિયાનો અર્થ ઓસડ સેવન જ નથી.
જેમ મોઢેથી ઔષધ લેવાય તેમ શરીરે તેલની માલિશ થાય.
ત્વચા દ્વારા તેલ પિવડાવાય તેલનું માલિશ બહુ ઉત્તમ છે.
આપણે ત્યાં તલનું તેલ, સરસવનું તેલ કોઈ પણ ચાલે.
એની વિધિસરની માલિશ એ રસાયન વિધિ છે.


બળની રક્ષા કરો, બળની ઉપાસના કરો.
આવાં સૂત્રો પાયામાંથી આયુર્વેદ શીખવે છે તેનું મહત્ત્વ સમજવા જેવું છે.
-
આરોગ્ય વિજ્ઞાન ડૉ. મલ્લિકા ચં. ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં કન્સલ્ટન્ટ)
[Source=www.bombaysamachar.com,12/05/2011]


શિયાળો પુરબહાર ખીલવવાની બધા રાહ જોઈ રહ્યા છે(ક્યા ખોવાઈ ગયો છે ?)

અને શિયાળો એટલે શાકભાજી અને ફ્રુટ ની મોસમ.

શિયાળામાં લીલા શાકભાજી અને જ્યુસ પીવાથી આખુ વર્ષ ચૂસ્તી-સ્ફૂર્તિ રહી શકે છે

આપણી મધર નેચરશિયાળામાં આપણને તંદુરસ્ત બનાવવા ખુબ જ લાડ લડાવે છે જેથી આપણે આખા વર્ષ દરમિયાન તાજામાજા રહી ને સ્વાસ્થયી રહી ને આપણા કાર્યો કરિ શકીએ..

અહિયા હુ Reliable Source માથી જ્યુસ વિષે થોડુ ઉમેરુ છુ જે આપણને પ્રેરણા પુરી પાડે છે કે ફળો નુ સેવન ખુબ જ ફાયદાકારક છે:

તાજા ફળ અને લીલા શાકભાજીના રસમાં પ્રચુર માત્રામાં વિટામીન,ખનીઝ,એંજાઈમ અને પ્રાકૃતિક શર્કરા હોય છે.

શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ સક્રિય બને છે જેના લીધે સ્વસ્થ તેમજ તાકાતવર બનાય છે.

બજારનુ Artificial Juice પીવુ એના કરતા આપણી જ ધરે બનાવેલુ તાજા ફળ અને શાકભાજી ના રસ પીવાનુ વધારે સારુ ગણાય છે

પણ આ બધા ફાયદા સાથે
થોડી તકેદારી પણ રાખવાની જરુર છે:

ફળોના રસને સ્ટીલના વાસણમાં રાખવાથી રસાયણિક પરિવર્તન થતાં હાનિકારક તત્વો ઉત્પન્ન થતાં રસને ઝેરીલું બનાવે છે. તેથી રસ નીકળે કે તરત જ પીવો ફાયદાકારક છે.

જ્યૂસ કાઢતાં પૂર્વે જ્યૂસરને બરાબર સાફ કરવું.

રસ કાઢ્યા બાદ તરત જ જ્યૂસર ધોઇ નાખવું.

ડબા બંધ જ્યૂસનું પ્રચલન પણ છે. જ્યૂસને લાંબો સમય તાજો રાખવા માટે તેમાં પ્રિર્ઝવેટિવ નાખવામાં આવે છે. અને જ્યૂસને ડબામાં પેક કરવાની પ્રક્રિયા દરમિયાન રસમાના પૌષ્ટિક તત્વો નાશ પામે છે.

ફળ તથા શાકમાં કેરોટીનતત્વ વિટામિન એ ના રૂપમાં હોય છે. વૈજ્ઞાનિકોના અનુસાર કોઇ પણ ફળ કે શાકનો રસ જો થોડી વાર પડ્યો રહે તો કેરોટીન તત્વ હવાના સંપર્કમાં આવી પોષ્ટિક તત્વ ગુમાવી દે છે.
એવી જ રિતે ગાજરને કાપી થોડી વાર રાખી મૂકો તો તેનામાં રહેલું વિટામિન એ નાશ પામે છે.
અને
સંતરા, લીંબુ, મોસંબી વગેરેને છોલીને અથવા રસ કાઢીને ૨૦-૨૫ મિનિટ સુધી રાખવાથી વિટામીન સી નાશ પામે છે.

એટલે જેમ બને તેમ ફળો નો રસ તૈયાર થાય કે તરત પીવાનો આગ્રહ રાખો જેથી તમે કોઈ પોષક તત્વો ને ગુમાવી ના શકો

જ્યુસ કેવી રિતે પીવો ?

બપોરના ભોજન બાદ ફળ અને શાકનો રસ પીવાનું ફાયદાકારક છે.જ્યૂસ ધીરે ધીરે પીવો જોઇેએ. એનાથી મુખમાંની લાળ ગ્રંથિઓ અધિક સક્રિય થઇને અધિક લાળ બનાવે છે. રસની સાથે અધિક લાળ પેટમાં પહોંચી ફળની શર્કરાને પચાવવામાં મદદ કરે છે. જેથી જ્યૂસ ચલદી પચી જાય છે.

Exception:

કોઇ રોગથી પીડાતી વ્યક્તિએ ફળ-શાકના રસનું સેવન કરતા પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે. દરદીની આવશ્યકતા જોઇને જ સલાહ આપે તેટલું જ સેવન કરવું.

સવારના નાસ્તો કર્યા વગર ફળ અને શાકનું સેવન ન કરવું. ખાલી પેટ ફળ અને શાકના સેવનથી નુકસાન થાય છે. જ્યૂસની માત્રા મર્યાદિત હોય છે. તેમાં સિંધવ, મરીનો ભૂક્કો અને લીંબુનો રસ ભેળવી પીવાથી અધિક લાભ થાય છે. એક સ્વસ્થ વ્યક્તિને ૨૦૦ ગ્રામ જેટલો રસ પર્યાપ્ત છે.


મારા વ્હાલા મિત્રો

તમે ઓટવિષે તો સાંભળ્યુ જ હશે.

મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં
એક, બે કે વધુમાં વધુ પાંચ પોષક તત્ત્વો હોય છે,
પરંતુ અમુક ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય છે.

ઓટએક આવો જ ખાદ્ય પદાર્થ છે.
ઓટ ને આપણે વિવિધ વ્યંજન બનાવી ને ખઈ શકીયે છે.

ઈડલી,ખીચડી અને વેજીટેબલ નુ મિશ્રણ કરી ને,
તેને પ્લેન મિલ્ક જોડે પણ લઈ શકીએ છે.

અને આ એક instant food છે
જે અત્યાર ના વ્યસ્ત જીવન મા દસ જ મિનિટ મા બની શકે છે.
હવે તો બજાર મા ઓટ ની Cereals આસાની થી મળી રહે છે.
જે Breakfast મા પણ લઈ શકાય છે.

હવે ઓટ ના ફાયદા જાણી લઈએ

ક્ષાર ભરપૂર છે

કેન્સર સામે લડે છે

ડાયેટિંગમાં મદદરૃપ થાય છે.

ઓટમાં દૂધના ગુણો પણ ભળેલા હોય છે
એટલે એમાંથી કેલ્શિયમ ભરપૂર મળે છે.
કેલ્શિયમના અભાવને કારણે ઓસ્ટિઓ સોરાઈસિસ થાય છે
જે હાડકાંની ઘટ્ટતા ઓછી કરી નાખે છે અને એને તકલાદી બનાવે છે.

કબજિયાત અટકાવે છે

ઓટ એક હાઈ ફાઈબર ધરાવતો ખોરાક છે.
એટલે એ પાચનતંત્રને વધુ ચેતનવંતુ રાખે છે.
એને કારણે આંતરડાં સુધીનું હલનચલન ઝડપી બને છે.

બાળપણની મેદસ્વીતા દૂર કરે છે

એકાગ્રતા કેળવવામાં મદદરૃપ થાય છે.

ઇન્ફેકશન સામે લડે છે

ચામડીને નીરોગી રાખવા માટે મોજા કે કપડાંની થેલીમાં ઓટ નાખો
અને પછી વીસ મિનિટ સુધી એને પાણીમાં રહેવા દો.
આ પાણીથી નાહવાથી ચામડી નીરોગી રહે છે.

(સ્તોત્ર-ગુજરાત સમાચાર)

શિયાળો આવવાની તૈયારી છે
અને
તેમા સુપ ની લિજ્જત ના હોય એવુ તો બને જ નહિ  !!

અને જ્યા સુપ ની વાતો થતી હોય
તો સુપ મા કિંગ ગણાતા ટામેટા નો સુપ તો અવશ્ય હોય.

ટામેટાના શુપથી શરીરમાં એક નવી તાજગી આવે છે.

તો આ ટામેટા વિષે ની શક્તિવર્ધક બાબતો આપણે જાણી લઈએ
અભ્યાસ મારફતે પણ આ બાબત સાબિત થઇ ચુકી છે કે
ટામેટા સ્વાસ્થ માટે ઉપયોગી  છે.
પાચનતંત્રમાં પણ ઉપયોગી સાબિત થાય છે.
ટામેટામાં મળતા લાલ તત્વ લાઇકોપીનમાં એન્ટિઓક્સિડેન્ટ પ્રોપર્ટિઝ હોય છે
જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ટામેટાંને હંમેશા વિટામીન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.
ટામેટા કાચા શાક તેમ જ રાંધેલા શાક સાથે  ઉપયોગ કરિએ  છે.
ટામેટાને કાચા ખાવા એ શ્રેષ્ઠ  છે.

એક અભ્યાસ પ્રમાણે
ફળો અને શાકભાજીમાંથી આપણને આઠ પ્રકારના એમિનો-એસિડ્સ મળે છે.
બધાં જ શાક અને ફળોમાં મોટાં ભાગના એમિનો-એસિડ્સ હોય છેપરંતુ
ટામેટા અને કાકડીમાં આઠેય પ્રકારના આ તત્ત્વો રહેલા છે.
આ આઠેય તત્ત્વોને આપણું શરીર બનાવી શકતું નથી.
રોજ ટમેટાં અને ગાજરનો રસ સરખી માત્રામાં લઈને પીવો જોઇએ.
તો ચહેરા પર રંગત આવી જાય છે.

ટામેટા અને કાકડીની ગણના શાકભાજીમાં થાય છે.
પરંતુ વનસ્પતિશાસ્ત્રમાં તેમનો સમાવેશ
ફળ તરીકે કરવામાં આવ્યો છે કારણ કે તેમાં બીજ હોય છે.

{સ્તોત્ર-મિત્રો,અહિ રજુ કરવામા આવેલા અભ્યાસ કોઇ ને કોઇ ભરોસાપાત્ર  
સ્તોત્ર  માથી જાણકારી ના હેતુ માટે લીધેલા છે.
જેમ કે સંદેશ અથવા સ્વદેશ સમાચાર પત્રિકા.}


આપણે દરેક  સ્વાસ્થ પ્રત્યે  સચેત રહિયે છે.
કહે છે ને Health is Wealth.
એના જેવી કોઈ મુડી નથી.
આપણે જાણીએ છે કે ગુજરાત ના લોકો ચા પીવાના નંબર વન છે.
અને એ પણ જાણીએ છે કે ચા નુ ઉત્પાદન આસામ મા થાય છે.
પણ અહિ હુ જે વાત લખી રહિ છુ
તે આપણા આસામ ની ચાની નહિ,
પણ એ પીણા ની જેનુ મૂળ ચીન કે જાપાન છે.
હા બરાબર  ..
આ ચા નુ નામ છે GREEN TEA 
જે ભારત મા પણ મળી રહે છે.
કેટલાંક સંશોધનો અને અભ્યાસો પરથી એવું તારણ મળ્યું છે કે,
ગ્રીન ટી નો ઉપયોગ શરીરને ચુસ્તી અને સ્ફોર્તિ જાળવવામાં મદદ કરે છે.
રોચક વાત છે ને મિત્રો !!
રોચક ઉપરાંત તંદુરસ્તી થી ભરપુર એવી Green Tea.
જેને પીવાથી શરીરની રક્તવાહિનીઓમા
લોહી નુ પરિભમણ પણ સારિ રિતે થાય છે.
અને આમ થવા નુ કારણ ચામાં રહેલું ફોલિક એસિડ
જે  હાર્ટના રોગો અને કેન્સર સામે પણ રક્ષણ આપે છે.
હજુ તો ફાયદા ઓનુ લીસ્ટ ખુબ લાંબુ છે….
તેમાં એન્ટિઓક્સિડન્ટ છે અને ડાયાબીટીસ જેવા રોગ સામે પણ રક્ષણ મળે છે.
તેથી દરરોજ ગ્રીન ટી નો ઉપયોગ આશીર્વાદરૃપ છે.
સાચે જ ગ્રીન ટી પણ તાજગી આપનારી છે !!!
હુ તો બસ આટલુ જાણી ને જ કાલ થી આ સ્વાસ્થયવર્ધક પીણાને
મારા Diet મા સામેલ કરી દઈશ
અને
તમે મારા વ્હાલા મિત્રો ?




મગ ગુણકારિ ખુબ જ હોય છે..જોઈએ તેના ગુણો નો ભંડાર .
દર્દી ને પણ ડોકટર મગનુ ઓસામણ આપવાની સલાહ આપે છે
કારણકે તે પથ્ય ખોરાક છે.
મગ  પ્રોટીનથી ભરપૂર હોય છે.
વળી તેમાંથી વિટામિન ,બીઇ અને ડી પણ મળી રહે છે.
અને  ફણગાવેલા મગ  તો પોષણનો ખજાનો છે.
ફણગાવેલા મગ ખાવાથી વાળ કાળાઘટ્ટ અને સુંવાળા બને છે.
આ અતિપૌષ્ટિક કઠોળનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
હવે જો મગ આટલા બધા ગુણકારી હોય
તો તેને આપણે ઝટપટ બનાવી પણ દઈએ
સામગ્રી:
50 ગ્રામ ફણગાવેલા મગ
4 ટમેટા (સમારેલા)
3 લીલા મરચા (સમારેલા)
2 કાકડી (સમારેલી)
લસણનો એક ગાંઠો (સમારેલો)
1 રસવાળું લીંબુ
લીલા ધાણાની જૂડી(સમારેલા)
મીઠું સ્વાદ અનુસાર રીત:
1. ફણગાવેલા મગને માપસર બાફો.
ધ્યાન રાખો કે મગ વધુ પડતા ન બફાઈ જાય.
2. એને નિતારીને બાઉલમાં કાઢી લો અને બાજુ પર રાખી દો.
3. તેમાં ટમેટા, લીલા મરચા, લસણ અને કાકડી ઉમેરો.
4. તેના પર લીંબુનો રસ ભેળવો.
5. મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
વજન ઓછું કરવાના આસાન ઉપાયો

શું તમે વજન ઉતારવા માંગો છો? અનેક પ્રયાસો કરવા છતા પણ તમારું વજન નથી ઉતરી રહ્યું.તો તમે યોગાસન કરીને બની શકો છો ફીટ એન્ડ ફાઈન.. થોડા દિવસમાં જ તમને યોગાસનનો મળશે ભરપુર ફાયદો.

યોગાસનની સાથે સાથે ભોજનનું પણ ધ્યાન રાખવું. લીલા શાકભાજી, રુતુ પ્રમાણેના ફળ અને ફળોના રસનો ભરપુર ઉપયોગ કરવો.- જમવાની સાથે સલાડ, સૂપ , છાશ અને દહીં અવશ્ય લેવું. જમવાની સાથે પપૈયું અને ફળોનો રસ લેવો. કેરીનો રસ ના લેવો. એનાથી પાચન શક્તિ વધશે.- સવારે અને સાંજે ઓછામાં ઓછું 3 કિલોમીટર ચાલવું.- તરવું, રમવું, સાઈકલ ચલાવવી પણ લાભદાયક રહેશે. શારિરીક શ્રમ અવશ્ય કરે.- કપાલભાતી પ્રાણાયામ અવશ્ય કરવું. દરરોજ 15 મિનિટ ચાલવું.- ભૂખ લાગે તો જ જમવું.- પાણી વધારે પીવું- વાસી ભોજન સદંતર બંધ કરી દેવું.- જમ્યા બાદ ઓછામાં ઓછા દસ મિનિટ આસન કરવા. વજ્રાસનમાં બેસવું ઉચિત રહેશે

સલાહ -. શ્રેષ્ઠ સૌંદર્ય પ્રસાધનો, વાળ શૈલીઓ, કેશોચ્છેદ, ફેશન ડિઝાઇન, હારો
---------------------------------------------------------
કેવી રીતે તંદુરસ્ત નખ હોય ખાય છે
સ્વસ્થ નખ અને વિટામિન કે માં ગરીબ આહારમાં ઓછા હોય છે કેવી રીતે ખાય છે, વિગતો દર્શાવતું ના ખરાબ સહયોગ કરી શકો છો

વિટામીન્સ અને ખોરાક એવિલ ઉંમર ઓછી, નખ ની બગાડ ફાળો .. કરી શકે છે અને વિવિધ પુરવણીઓ અને ઉપાયો પર નાણાં ખર્ચવા સુધારવા માટે તમારા દેખાય છે માત્ર તમારી ખોરાક ઉમેરવા માટે નથી પોષક સમૃદ્ધ ખોરાક તમને તમારા નખ પછી કરશે. .. મજબૂત અને તંદુરસ્ત હોવા અહીં ઉત્પાદનો શું તમારા નખ સાથે સમસ્યા ખાય જોઇએ પર ટીપ્સ છે 
વિટામિન ત્વચા વાળ અને નખ યોગ્ય પરિસ્થિતિ જાળવવા માટે જરૂરી છે, અલબત્ત, એ વિટામિન મોટી ડેરી સામેલ રકમ છે. - તમારા મેનુમાં સમાવેશ કરવો જોઇએ ડેરી ઉત્પાદનો, ચીઝ, ઇંડા, તેનાં સ્ત્રોત ચિકન યકૃત અને શાકભાજી છે - .. spinach, ટામેટાં carrots, અને મશરૂમ્સ તમારા ખોરાક ઉંમર પેદાશો હોવી જોઈએ પણ વિટામિન બી સમૃદ્ધ છે, ખાસ કરીને B1 અને B2 આખા અનાજ, બદામ મુખ્ય સ્ત્રોત છે , સૂર્યમુખી બીજ, પાંદડાવાળા શાકભાજી - .. લેટીસ, spinach, અને માછલી અને માછલીના તેલમાંથી ઉંમર પણ તમારા શરીરને વિટામિન સી પાડવા. - મુખ્યત્વે તાજા ફળો અને શાકભાજી જોવા મળે છે સાઇટ્રસ ફળો, સફરજન, કાળી સૂકી દ્રાક્ષ અને સાથે તમારા આહારમાં સમૃદ્ધ લાલ, અને cabbages અને ચામડી ના યોગ્ય રીતે કામગીરી માટે ટામેટાં પણ વિટામિન એચ જરૂર છે - Biotin .. તમે મને યકૃત શોધી, બદામ પડશે બધા કપડાં કુદરતી રંગો, pastels માં જ હોવી જોઈએ. તેજસ્વી રંગો ટાળો અથવા ખૂબ જ તેજસ્વી. આ તીવ્ર રંગો પૂરવણીઓ ઉપયોગ કરી શકાય છે. જોકે યાદ છે, કે તેઓ ખૂબ જ હોવું જોઈએ નહિં. તમે minimalism અને સુઘડતા દ્વારા સંચાલિત જોઈએ. ઉંમર માટે પણ તેના મળ્યું વધુ ન દર્શાવો યાદ રાખો. ચીરો કામ માટે, ઘૂંટણ આવરી સ્કર્ટ પર બ્લૉક જોઈએ. યોગ્ય લંબાઈ બનાવે તમે બેસી તમે જાંઘ નથી શોધવામાં આવશે. તેમના આભૂષણો વધારે પડતી એક્સપોઝર, તેને અક્ષમ વ્યક્તિ તેમના દેખાવ ચાલાકી કરવાનો પ્રયાસ તરીકે જોવામાં આવે છે આવશે. કામ પર આધાર રાખીને ઉંમર સ્કર્ટ અથવા પેન્ટ, શર્ટ, princeska અથવા જોડિયા સાથે સંપૂર્ણ ઉત્તમ નમૂનાના જાકીટ છે. તેઓ મૌન રંગો બધા છે. જો તમારી પરિસ્થિતિ ભવ્ય કપડાં, રોજબરોજના જિન્સ અને sweater સમૂહ અથવા બ્લાઉઝ જરૂર નથી. જિન્સ પણ કરી અણનમ લૂછી જોઈએ, અને sweaters અથવા blouses ખૂબ આડંબરી રંગો. ઉંમર એ એક્સેસરીઝ ન ભૂલી નથી, પરંતુ મધ્યસ્થતા વાપરો. સંપૂર્ણ ઉકેલ તેના lapel અને પોશાકની શોભાપ્રદ પિન એક ફૂલ છે - મળ્યું અને સર્જનાત્મક નાટક ઉમેરો કરશે. કંઈક માટે ઓછી milder વસ્ત્રોમાં ભલામણ છે કે તમે યોગ્ય પટ્ટો અથવા તેના ખભા પર ફેંકી દે ખેસ પસંદ કરો. તો earrings રિંગ્સ, અને કડા નથી ભૂલી. પ્રારંભમાં ઉંમર શૂઝ આરામદાયક હોવું જોઈએ. તેઓ અંગૂઠા અને રાહ છે, fullest શક્ય અંશે રક્ષણ જોઈએ કોઈપણ ornaments સમાવતું નથી





કબજીયાત
·         એક ચમચો મકાઇની સાક્વાળી ચાસણી કરીને ૮ ઔંસ પાણી ભેળવીને પીવું.
·         દિવસમાં બેવાર દૂધમાં વધાર્ર સાકર અથવા મધ નાખીને લેવું.
·         બઘા ફ઼્અળોમા બેલફ઼્અળ રોચક હોવાથી મળક્રિયામાં મદદ થાય છે, અને આંતડામાં શક્તિ આવે છે.
·         જમરૂખ (બી સાથે) ખાવાથી પેટ સાફ઼્અ આવે છે.
·         વધારો ફળાહાર લેવાથીં ખાસ કીને સૂકી કાળી દ્રાક્ષ, જમરૂખ, લીલી અને કાળી દ્રાક્ષ, સંતારાનો રસ અને પપૈયાથી કબજીયાતમાં ફ઼્અરક પડે છે.
·         સગી અને જુવાન બાળકોને થુલીવાળુ ધાન્ય આપવાથી કબજીયાત મટે છે.
·         અજમો અને સોનામુખીનું ચુર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
·         પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
·         નયણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટે છે.
·         લીબુંનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં નાખી સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
·         ખજુરને રાત્રે પલાળી સવારે મસળી, ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
·         ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
·         કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
·         રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
·         ત્રણ ગ્રામ મેથીનું ચુર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
·         ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળી રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
·         રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
·         અજમાના ચૂર્ણમાં સંયોરો નાખી ફાકવાથી કબજીયાત મટે છે.
·         તુલસીના ઉકાળામાં સિંધવ અમે સૂંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
·         જાયફ઼્અળ લીંબુના રસમાં ઘસીને તે ઘસરો લેવાથી કબજીયાત મટે છે.
·         કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે, અને શક્તિ વધે છે


ફળોમાં ઉત્તમ ખાટીમીઠી દ્રાક્ષના ગવાય એટલા ગુણ.
                   - કેતન ત્રિવેદી
મોંમા પાણી આવે તેવી મનમોહક ખટમી દ્રાક્ષ હવે સર્વત્ર મળે છે. સરખામણીમાં સોંઘી પણ મળે છે. તમને જાણીને આનંદ થશે કે દ્રાક્ષને આયુર્વેદે ફલોત્તમકહીને બધાં ફળમાં સર્વોત્તમ કહી છે. રોજંિદા આહારમાં હંમેશા લીલી કે સુકી દ્રાક્ષ ખાવાનું પણ અષ્ટાંગ હૃદયમાં કહેવામાં આવેલું છે.
કુદરતે માનવજીવનની રક્ષા અને ઉપકારરૂપે અનેક ભેટો આપી છે. બદલાતી ૠતુઓ મુજબ જાત-જાતનાં ફળોનો રસથાળ ઉભરાય છે. જેના ગુણકર્મો અને ગુણધર્મો જેતે ૠતુમાં થતા રોગો સાથે સંબંધિત હોવાનું અનુમાન કરી શકાય. અનેક જાતનાં ફળોમાંથી ઘણાંને અમુક જ ફળો ભાવે તેવું બની શકે. પરંતુ દ્રાક્ષ એક એવું ફળ છે જે મોટાભાગે બધાને ભાવતું જ હોય છે. બાળકથી માંડીને વૃદ્ધસ્ત્રી- પુરૂષ, અમીર-ગરીબ તમામ વર્ગના લોકોને દ્રાક્ષ અતિપ્રિય અને સુલભ પણ છે. કુદરતી મેવામાં ગણાતી આ દ્રાક્ષ, કાજુ, બદામ જેવા સૂકા મેવા કરતા પ્રમાણમાં સસ્તી હોવાથી તે બધાનાં નસીબની મર્યાદામાં આવી શકે છે. બાકી અમુક વર્ષો બાદ તો એવું બનશે કે કાજુ-બદામ કે અંજીર જેવા મેવાનો ભાવ પૂછીશું તો યે પૈસા આપવા પડશે. ટૂંકમાં મોંઘવારીની અતિ ઝડપી સવારી જે રીતે આગળ વધે છે તે રીતે જોતા અમુક સમયબાદ આજે આપણે સરળતાથી જોઇ, ખાઇ શકીએ છીએ. તેમાનું ઘણું બઘું ભવિષ્યમાં માત્ર જોઇ જ શકીશું. દ્રાક્ષની આવી સ્થિતિ આવે તે પહેલાં ખાઇ લેવાની તક મેળવી લેવા જેવી છે. દ્રાક્ષની મીઠાશની બાબતમાં વઘુ જણાવવાની એટલા માટે જરૂર નથી રહેતી કે અન્ય મીઠી (ગળી) વસ્તુને દ્રાક્ષની ઉપમા આપી તેની મીઠાશ દર્શાવવામાં આવે છે.
યુરોપ અને અમેરિકામાં દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. દુનિયાભરમાં સૌથી વઘુ દ્રાક્ષ ફ્રાંસના દક્ષિણ ભાગમાં થાય છે. ત્યાં વિશાળ, લીલાછમ બગીચાઓ જોવા મળે છે. ભારતમાં દ્રાક્ષનું વાવેતર પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઘણા સમયથી થતું રહ્યું છે. પૂના, સતારા, નાસિક અને ખાનદેશ તેનો મુખ્ય પ્રદેશ મનાય છે. હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ છૂટક છૂટક દ્રાક્ષનું વાવેતર થાય છે. તેમાં ખેડા જિલ્લો મુખ્ય છે. દ્રાક્ષનું વાવેતર સારી કમાણી આપી શકે છે. તેના વેલા બે-ત્રણ વર્ષે ફળવા લાગે છે. જોકે વર્તમાન જગતની સંશોધન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમથી આ ગાળો ઘટી શક્યો હોવાનું જોવા મળ્યું છે. ફેબુ્રઆરી અને માર્ચમાં લીલી દ્રાક્ષ-કાળી દ્રાક્ષ પુષ્કળ જોવા મળે છે. અને લોકો તેને મન અને પેટ ભરીને માણતા પણ જોવા મળે છે.
દ્રાક્ષની ઘણી જાતો છે. બેદાણા, મુનક્કા, કિસમીસ એ દ્રાક્ષની મુખ્ય જાતો છે. આ નામો સૂકી દ્રાક્ષ માટેના છે. લીલી દ્રાક્ષ એ સર્વસામાન્ય અને સુપાચ્ય જાત છે. કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ અને ધોળી દ્રાક્ષ તેવા પણ પ્રકારો જોવા મળે છે. તેમાંથી ધોળી દ્રાક્ષ વઘુ મીઠી અને મોંઘી હોય છે અને તે અપ્રાપ્ય કે સામાન્ય માણસોને ઓછી જોવા મળતી જાત છે. કાળી દ્રાક્ષ બધી જ પ્રકૃત્તિવાળા લોકોને, સર્વ રોગોમાં લાભપ્રદ અને ગુણકારી ગણાય છે. કાળી દ્રાક્ષમાંથી અનેક જાતની દવાઓ બનાવી શકાય છે. બે દાણા નામની જાત કંઇક અંશે ધોળી હોય છે અને તેમાં બી હોતા નથી. કિસમિસ બે દાણા જેવી જ પરંતુ પ્રમાણમાં નાની હોય છે. ભારત જેવા ગરમીવાળા દેશના લોકોની તરસ અને ભૂખનું શમન કરવામાં દ્રાક્ષ અમૃતનું કાર્ય કરે છે. વ્યાપકપણે જોવા અને ખાવા મળતી લીલી (તાજી) દ્રાક્ષ કંઇક અંશે કફકારક ગણાય છે. પરંતુ મીઠું અથવા સંિધવ સાથે ખાવાથી કફ થવાનો ભય રહેતો નથી. દ્રાક્ષ બધાને ખાવી ગમે છે. માંદા-સાજા અને સગર્ભા તથા પ્રસૂતા પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે.
દ્રાક્ષના ગુણઃ
આયુર્વેદના ગ્રંથોમાં દ્રાક્ષની જાતો અને ગુણોનું ઠીકઠીક વર્ણન જોવા મળ્યું છે. દરેક ક્ષેત્રમાં થયેલી વૈજ્ઞાનિક ક્રાંતિ અને સાધન-સવલતોની ઉપ લબ્ધિઓના કારણે અનેક નવા સમીકરણો અને ઉત્પાદનો સર્જાયા છે. વનસ્પતિ ફળફળાદિ વગેરેના બિયારણોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે તેથી તેના ફળની ગુણવત્તા પર શું અસરો થઇ તે જોવું અને જાણવું એ અનુસંધાનનો વિષય છે. શાસ્ત્રીય મત મુજબ દ્રાક્ષ સારક ગુણવાળી, સ્વર (અવાજ)ને સારો કરનારી, મીઠા રસવાળી ને ચીકાશયુક્ત શીતળ ગુણ યુક્ત છે તે ઉત્તમ પથ્ય છે. તેથી કોઇપણ સ્થિતિમાં તે યુગોથી અપાતી આવી છે. તાવ, ક્ષય વગેરે રોગોમાં આવેલી અશક્તિમાં દ્રાક્ષ અને તેની બનાવટો અમૃત સમાન ફાયદાકારક છે. દ્રાક્ષ શીતવર્ય, રસ તથા વિપાકમાં મઘુર, પાછળથી સહેજ તૂરી, હર્ષદાયક, રોચક, તર્પણ (તૃપ્તિ કરનાર), વાયુનું અનુલોમન કરનાર, સ્નિગ્ધ, આંખોને હિતકર, કંઠ્ય તથા શ્રમહર છે. દ્રાક્ષ, તરસ, દાહ, તાવ, શ્વાસ, રક્તપિત, ક્ષત, ક્ષય, વાયુપ્રકોપ, પિતપ્રકોપ, ઉદાવર્ત, સ્વરભેદ, મહાભય, મોઢાની કડવાશ, મૂળશોખ, ઉધરસ, ઉલ્ટી, ભ્રમ, શોષ અને મૂત્રાવરોધનો નાશ કરનારી છે. શરીરને તુરંત શક્તિ અને તાજગી તથા તૃપ્તિ દ્રાક્ષથી મળે છે. હોજરી અને આંતરડામાં કે શરીરમાં અન્યત્ર થયેલા ચાંદાને (અમુક સ્થિતિએ હોય ત્યાં સુધી) દ્રાક્ષ રૂઝવી શકે છે. ત્વચા અને લોહીના રોગોને મટાડે છે. લોહીમાં રહેલી ખોટી ગરમી તથા વિકૃતિ દૂર કરી લોહીને સ્વસ્થ, નીરોગી અને શરીરને તાકાતવાન તથા સક્ષમ બનાવે છે.
યુનાની વૈદ્યોના મત મુજબ દ્રાક્ષ કફને પાતળો કરીને બહાર કાઢનાર મુખ્ય દવા છે. તે ઉપરાંત સ્ત્રીઓના માસિક ધર્મને તે નિયમિત કરે છે, કબજીયાત દૂર કરે છે. લોહી તથા માંસને વધારે છે. ખાટી-મીઠી અને દીપન-પાચનનું કામ કરતી દ્રાક્ષ ફેંફસા, યકૃત તથા મૂત્રાશયના રોગો અને જીર્ણજવરમાં લાભદાયક છે. દ્રાક્ષના બી શીતળ, કામોત્તેજક અને ગ્રાહી છે. તેના પાન હરસને મટાડે છે. દ્રાક્ષના વેલાની ડાળીઓ મૂત્રાશય, અંડકોષના સોજામાં ફાયદાકારક છે. તેના વેલાની ભસ્મ મૂત્રાશયની પથરીને ઓગાળીને કાઢવામાં મદદરૂપ થાય છે તેમ જ સાંધાની પીડા મટાડનાર તથા અર્શ - મસાના ભરાવા કે સોજાને માટે હિતકારી છે. આઘુનિક વિજ્ઞાનના મત મુજબ દ્રાક્ષમાં વિટામીન એ, બી અને સી તથા લોહતત્વ રહેલું છે. અન્ય પૌષ્ટિક દ્રવ્યોની સાથે-સાથે તેમાં પોટેશિયમ, સેલ્યુલોઝ, શર્કરા તથા કાર્બનિક અમ્લ હોવાથી તે કબજીયાત દૂર કરે છે. દ્રાક્ષના રસનું સેવન યકૃતને બળ આપે છે. દ્રાક્ષમાં શર્કરા અને કાર્બોહાઇડ્રેટ વિપુલ પ્રમાણમાં હોવાથી તેની પૌષ્ટિકતા અન્ય ફળોની સરખામણીએ ચઢિયાતી છે. વૈજ્ઞાનિકોમાં તે બાબતે થોડો વિખવાદ છે. અમુક નિષ્ણાતો દ્રાક્ષનાં પોષણમૂલ્યને ઊચું નથી ગણતા. પરંતુ તે મુદ્દો અત્રે અગત્યનો નથી.
જૂની કબજીયાતના દર્દીઓ માટે દ્રાક્ષનું સેવન એક ઉત્તમ ઔષધનું કાર્ય કરે છે. નિયમિતરૂપે દ્રાક્ષ ખાવાથી પાચક રસોના આલ્પતર સ્ત્રાવ યથાર્થ રીતે ઝરવાથી પાચન પણ સારી રીતે થાય છે અને કબજીયાત દૂર થાય છે. આજ કારણે ગુદાભંશ કે મસાના દર્દીઓને પણ દ્રાક્ષથી ફાયદો કે રાહત રહે છે. મસાએ કબજીયાતનું મુખ્ય પરિણામ છે. કબજીયાત ન રહે તો મસાનું દર્દ સહન થઇ શકે તેવું મર્યાદિત રહે છે. પરંતુ કબજીયાતની સ્થિતિમાં તે ભયંકર વેદનાનું છે, પરંતુ કબજીયાતનું નિવારણ થઇ જાય તો તેનો દુઃખાવો ઓછો કે નગણ્ય સ્થિતિમાં આવી જવાથી તેને કઢાવવાનું મોકૂફ રહી શકે છે. કદાચિત બંધ પણ રાખી શકાય છે. પિત્ત એ ગરમીયુક્ત શારીરિક દોષ છે. જે લોકોને પિત્તપ્રકોપ થયો હોય તેમણે દ્રાક્ષ ખાવાથી શરીરમાં થતી બળતરા મટે છે. ઊલ્ટી થતી હોય તો બંધ થાય છે. શરીરની નબળાઇ વઘુ હોય, વજન વધતું ન હોય, ચામડી શુષ્ક બની ગઇ હોય, આંખોમાં ઝાંખપ લાગતી હોય અને બળતરા રહેતી હોય તો દ્રાક્ષ ખાવાથી એ બધી ફરિયાદો દૂર થાય છે. દ્રાક્ષમાં રહેલ વિટામીન સીના લીધે ચામડીના રોગો તથા સ્કર્વી જેવા રોગો સામે રક્ષણ મળે છે. મનોવૈચિત્ય શ્વાસ જેવા ફેંફસાના રોગોની સ્થિતિમાં અન્ય જે કંઇ દવા ચાલુ હોય તે ચાલુ રાખી સાથે સાથે દ્રાક્ષ કે તેની અન્ય કોઇપણ બનાવટોનું સેવન કરાવવું જોઇએ. અહીં દ્રાક્ષ ઔષધહારનું કાર્ય કરશે.
બધા ફળોમાં શ્રેષ્ઠ ગણાવાયેલી દ્રાક્ષ અમુક સ્થિતિમાં ન ખાવાની પણ સૂચના ઘણા શાસ્ત્રકારોએ આપેલી છે. જે લોકોને કફ, શરદી સળેખમ લાંબા સમયથી રહેતા હોય તેમણે દ્રાક્ષનો ઉપયોગ ન કરવો કે વિચારપૂર્વક મર્યાદિત માત્રામાં કરવો તેવી સલાહ છે. કેમકે દ્રાક્ષ સ્વભાવતઃ ઠંડી છે. તેથી જેને ઠંડી વસ્તુ માફક જ ન આવતી હોય તેમણે આવી બાબતે પોતાની શરીર પ્રકૃતિ અને જીવનપદ્ધતિ મુજબ મર્યાદિત પ્રમાણમાં દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ખાટી અને કાચી દ્રાક્ષ ન ખાવાનું પણ વિધાન છે. એકલી ખાવાની પણ સલાહ નથી કેમ કે તે સારક અને મૂત્રલ ગુણ ધરાવે છે તેથી અન્ય નિયમિત ખોરાકની સાથે-સાથે લેવાથી વજન વધારી શકે છે. પરંતુ માત્ર તે જ લેવાથી શરીરને કૃશ કરે છે. ધોયા વિનાની દ્રાક્ષ ન ખાવી. બને તો ગરમ પાણીથી ધોયા પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. જેથી કચરો અને જંતુઓ તથા તેના ઉપર છાંટેલી દવાઓના અંશો નીકળી જાય.
ઔષધરૂપે દ્રાક્ષ
એક તોલો સૂંઠ, એક તોલો મરી, એક તોલો પીપર અને એક તોલો સંિધવ લઇ તેને ખાંડી તેનું કપડાથી ગાળેલુ ચૂર્ણ તૈયાર કરવું, પછી ચાલીસ તોલા કાળી દ્રાક્ષ (બી કાઢેલી) સાથે મેળવી ચટણીની માફક પીસીને બરણીમાં ભરી લેવું. આ તૈયાર થયેલ ચાટણને પંચામૃત ચાટણકહેવાય છે. આ ચાટણ અડધા તોલાથી બે તોલા જેટલું સવાર-સાંજ ચાટવાથી અરૂચિ, વાયુ, મંદાગ્નિ, કબજીયાત શૂળ, મોળ કફ વગેરે મટે છે.
ધોળી (બી વિનાની) દ્રાક્ષ તોલા લઇ તેને લીંબુના રસમાં વાટી તેમાં એટલું જ પાણી મેળવી એકરસ કરી વસ્ત્રથી તેનો રસ ગાળી લેવો. પછી તેમાં પાકા દાડમના દાણાનો ચાળીસ તોલા રસ મેળવવો. પછી તેમાં એંસી તોલા સાકર નાંખી ચાસણી કરીને શરબત બનાવવું. આ શરબત બે-અઢી તોલા પીવાથી રૂચિ પેદા થાય છે, પિત શમે છે અને મંદાગ્નિ મટે છે. કાળી દ્રાક્ષ રાત્રે પલાળી રાખવી. સવારે મસળી તેને ગાળીને તેમાં જીરાની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરીરની બળતરા મટે છે. એસિડિટી એ વર્તમાન સમાજનો વ્યાપક વ્યાધિ છે. આમ તો તે આઘુનિકતાની દોડાદોડની આડપેદાશ છે તેવું કહી શકાય. તેમાં પાછા જીભના અમર્યાદિત સ્વાદની ઝંખના તેને વધારવામાં મદદ કરે છે. દ્રાક્ષ અને વરિયાળી બબ્બે તોલા લઇ રાત્રે અડધા રતલ પાણીમાં ભીંજવી રાખવું. સવારે મસળીને ગાળી લેવું અને તેમાં એક તોલો સાકર નાખી પીવું. આવું થોડા દિવસ નિયમિત રીતે કરવાથી અમ્લપિત્ત- ખાટા ઓડકાર, ખાટી ઉલ્ટી, મોંના ચાંદા, છાતીની બળતરા તથા પેટનું ભારેપણુ વગેરે લક્ષણો શમી જાય છે. કબજીયાતના કાયમી દર્દીઓ જાતજાતની દવાઓના અખતરા કરતા રહે છે. તેમાં દવાના નામ બદલાયા કરે છે. રોગી અને રોગ જેના તે જ રહે છે. પરંતુ ત્રણ-ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી-ગાળીને પીવાથી લાંબા ગાળે કાયમી ફાયદો કરે છે. આયુર્વેદિક ઉપચારો એ એક-બે દિવસની રમત નથી તેનું અનુશીલન જરૂરી છે. બે દિવસ લઇને ‘‘આમાં મજા ન આવી’’ તેવું નિવેદન કરવાવાળા માટે અન્ય શાસ્ત્રીય કે શાસ્ત્ર બહારના થીગડાં મારવા એ જ ઉપાય છે. હવે બજારમાં મળતી દ્રાક્ષને ઘરમાં લાવશો અને આરોગ્ય જાળવશો તો આ લેખ વાંચ્યો સાર્થક ગણાશે


પેટ-આંતરડાની સમસ્યામાં રાહત આપે પેલ્વિક મુદ્રા
મુદ્રા વિજ્ઞાન-પેલ્વિક મુદ્રા આજે આપણે એક બહુ જ અગત્યની મુદ્રા વિશે જાણીએ. પેટનાં નીચેના ભાગમાં થતો દુખાવો, સ્ત્રીઓને માસિકના સમયે થતો દુખાવો, આંતરડામાં થતી તકલીફ, તેમ જ મોટી ઉંમરમાં પેટમાં થતી તકલીફો, સ્ત્રીઓને કોઈ તકલીફને કારણે વારંવાર પેશાબ જવું પડતું હોય, અસહ્ય લાગતું હોય પુરુષોને પ્રોસ્ટેટની તકલીફમાં આ મુદ્રા કરે છે. પાઈલ્સ અને ફિશર્સની તકલીફમાં પણ મદદ કરે છે. આ મુદ્રા કરવાથી બ્લેડરની નબળાઈ દૂર થાય છે અને ત્યાં ભેગું થતું ટેન્શન દૂર થાય છે. પોઝિટિવ પેટર્નમાં રૂપાંતર કરે છે.
મુદ્રા કરવાની રીત: (૧) ટચલી આંગળી અંગુઠા સાથે જોડવી અને રિંગ ફિંગરને સામસામી જોડવી બીજી આંગળીઓ છૂટી મૂકી દસેક શ્ર્વાસ લેવાય ત્યાં સુધી કરવું. (૨) હવે ટચલી આંગળીને સામસામી જોડવી અને રિંગ ફિંગર અને અંગૂઠાને જોડવા બીજી આંગળીઓ ખુલ્લી રાખી અને ૧૦ શ્ર્વાસ લેવા. આ મુદ્રા દિવસમાં ત્રણ વખત સાતથી દસ મિનિટ કરવી.
આ મુદ્રા કરતી વખતે હકારાત્મક વલણ અને વિચારો રાખવા. મનમાંથી ડર કાઢી નાખવો.
સંકલ્પ: મારા રસ્તામાં કેટલો પણ અંધકાર હશે પરંતુ આ અંધકાર મને પ્રકાશ તરફ લઈ જશે.
મુદ્રા સાથે કરવાના ઘરગથ્યું ઉપાય: * દરરોજ હલકો અને પૌષ્ટિક ખોરાક લેવો જેમાં પ્રોટિન ચરબી વધારે ના હોય કઠોળ પણ નહીં લેવી લીલાં તાજાં શાકભાજી અને ફળ લેવા.
* કોળાનાં બિયાં જેમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે તે લેવા. બીયાને મુખવાસ તરીકે ખવાય અથવા તેનો ભૂકો કરી સેલડ કે શાકભાજીમાં નાખી ખવાય, દૂધ અથવા મધ પણ સાથે લેવા.
* પાલક અને દ્રાક્ષ લેવાથી પેશાબની તકલીફમાં રાહત લાગશે.
* તાજાં ફળ અને શાકનો રસ લેવો. ખાસ કરીને ગાજર અને પાલકનો રસ ફાયદાકારક નીવડશે.
* કાળા તલ, વરિયાળી અને ગોળ ભેગા કરી ખાવા તેનાથી બ્લેડર મજબૂત બને છે.
* રાતે સૂતી વખતે ગોળની એક નાની કટકી ચુસવાથી પણ યુરિનરી રૂટ્સ મજબૂત થાય છે. અથવા શુદ્ધ મધ લેવું.
* તજની એક નાની કટકી ચુસવાથી પણ ફાયદો મળે છે



No comments: